કેસર પિસ્તાં શ્રીખંડ
કેસર પિસ્તાં શ્રીખંડ
સામગ્રી :
એક કિલો દહીં,
૨૦૦ ગ્રામ બૂરુ ખાંડ,
૧૨થી ૧૫ તાંતણા કેસર,
ત્રણ ચમચી દૂધ,
અડધી ચમચી ઇલાયચી પાઉડર,
દસ નંગ બદામ,
પંદર નંગ પિસ્તાં.
રીત :
દહીંને સફેદ મલમલના કપડાંમાં એકદમ ફીટ બાંધી લો. એક કલાક આ રીતે બાંધીને લટકાવી રાખો જેથી એમાં રહેલું બધું પાણી નીકળી જાય. એક વાસણ પર ચારણી મૂકી તેના ઉપર પોટલી મૂકીને ચારથી પાંચ કલાક માટે ફ્રિજમાં મૂકી દો. આમ કરવાથી દહીં ખાટું નહીં થાય અને પાણી બરાબર નીતરી જશે. દૂધમાં કેસરના તાંતણા એકાદ કલાક માટે પલાળી દો. બદામ અને પિસ્તાંની કતરણ કરી લો. દહીંના મસ્કામાં બૂરુ ખાંડ તથા કેસરવાળું દૂધ ઉમેરી બરાબર હલાવી દો. હવે ઇલાયચી પાઉડર અને બદામ પિસ્તાંની કતરણ મિક્સ કરી શ્રીખંડને ફ્રિજમાં ઠંડો કરવા મૂકી દો. પીરસતી વખતે ફરી થોડી બદામ-પિસ્તાંની કતરણ ભભરાવી સર્વ કરો.
Comments
Post a Comment