આચારી પનીર ખીચડી

 


આચારી પનીર ખીચડી


સામગ્રી :

૧ બાઉલ રાંધેલી ખીચડી,

૧૦૦ ગ્રામ પનીર,

તેલ, 

લીલાં મરચાં, 

ઝીણાં સમારેલાં કેપ્સિકમ

૪ ચમચી આચાર મસાલો

રીત : સૌપ્રથમ એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો નાખો. પછી તેમાં ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ઝીણાં સમારેલાં કેપ્સિકમ નાખી હલાવો. ત્યારબાદ તેમાં આચાર મસાલો નાખી થોડું મીઠું નાખી હલાવો. તૈયાર કરેલી ખીચડી નાખી સરખી રીતે મિક્સ કરો. છેલ્લે ઉપરથી પનીર છીણીને નાખો. પછી ખીચડી પર ફરીથી આચાર મસાલો અને પનીર છીણીને સર્વ કરો.



Comments

Popular posts from this blog

મુઘલાઈ વેજ બિરયાની

મિક્સ વેજિટેબલ પરોઠા

મશરૂમ દમ બિરયાની